Delhi International Airport પર સર્જાઈ મોટી દુર્ઘટના, ટર્મિનલ-1ની છત તૂટી પડી, ગાડીઓ દબાઈ અને લોકોને પહોંચી ઈજા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 11:20:05

ચોમાસાની સિઝન જામી છે.. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. વરસાદ આવવાની લોકો પ્રતિક્ષા કરી રહ્યા હતા. વરસાદ આવ્યો પરંતુ તેની તેની સાથે અનેક આફતો પણ આવી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે.

  

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટના

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.. રસ્તા પર પાણી ફરી વળ્યું છે. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.. વાહનચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે.. વાહનો બંધ પડી ગયા અને ધક્કા મારતા લોકો દેખાઈ રહ્યા છે.  એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. આ છતની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ટર્મિનલ-1ની તૂટી ગઈ છત અને... 

છત પડવાની ઘટના સામે આવતા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી.. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એકથી ઉડવાવાળી ફ્લાઈટને અસર પહોંચી છે.. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. છત તૂટી જવાને કારણે ટર્મિનલ 1મં પાર્ક કરેલી કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ મામલે આપી પ્રતિક્રિયા 

આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા X પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે લખ્યું, 'હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.મહત્વનું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, પાણી ભરાઈ રહ્યા જેને કારણે પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉભા થાય છે.  



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..