મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે મારી 3 બસોને ટક્કર, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-25 13:39:22

શુક્રવાર રાત્રે મધ્યપ્રદેશમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો જેમાં 14 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચુરહટ રીવા નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી અને રસ્તામાં ઉભેલી ત્રણ બસોને અડફેટે લીધી હતી. આ બસોમાં સવાર લોકો કોલ સમાજના મહાકુંભ કાર્યક્રમમાં સામેલ થયા બાદ સીધી પાછા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

   


નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે વધુ એક અકસ્માત મધ્યપ્રદેશમાં સર્જાયો છે. આ અકસ્માતને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સીધીના ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર શુક્રવાર રાતે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટયું જેને કારણે ટ્રક બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ બનેલા ટ્રકે 3 બસોને અડફેટે લીધી હતી. 


બેકાબૂ બનેલી ટ્રકે મારી ત્રણ બસોને ટક્કર 

મળતી માહિતી અનુસાર સતનામાં આયોજીત કોલ મહાકુંભમાં લોકોને લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિંધ્ય ક્ષેત્રના જિલ્લાઓથી લોકોને કાર્યક્રમમાં લાવવા બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તામાં યાત્રિકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની અને પાછળથી આવેલી ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે 8 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા જ્યારે સારવાર દરમિયાન અન્ય લોકોના મોત થયા. 


મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની કરી ઘોષણા  

 ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ તેમજ ઘાયલ થયેલા લોકોને 1 લાખ આપવાની જાહેરાત કરી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!