Ahmedabadમાં સર્જાઈ મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગના 13માં માળેથી શ્રમિકો પટકાયા, ઉડ્યું પ્રાણ પંખેરૂ


  • Published By :
  • Published Date : 2023-09-30 12:39:22

કન્ટ્રક્શન સાઈટમાં અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. જીવના જોખમે મજૂરો આપણા સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાલક તૂટી પડતા નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર 3 શ્રમિકોના મોત નિપજ્યાં છે. 12માં માળથી મજૂરો પટકાયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ દુર્ઘટના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. મોડી રાત્રે મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે કે મોડી રાત્રે કેવી રીતે કન્ટ્રક્શન સાઈટ પર કામ કરવાની પરમિશન મળી?   

Ahmedabad/ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના,12માં માળથી  પટકાતા 3 શ્રમિકોના મોત - KalTak 24 News

કન્ટ્રક્શન સાઈટ પર સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત નિર્માણાધિન બિલ્ડીંગો તૂટી પડવાની ઘટના સામે આવતી હોય છે. દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકોના મોત થતા હોય છે. મજૂરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા પર ધ્યાન વધારે આપવામાં નથી આવતું. સુરક્ષાની તકેદારી રાખવામાં નથી આવતી જેનો ભોગ શ્રમિકોને બનવું પડતું હોય છે. અનેક શ્રમિકોના જીવ આને કારણે ગયા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે.   

અમદાવાદમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતાં 7 મજૂરોના મોત – Tv9 Gujarati

12માં માળેથી પટકાતા શ્રમિકોના થયા મોત

જે દુર્ઘટના સર્જાઈ છે તે ઘુમા વિસ્તારમાં બની છે. વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અનેક શ્રમિકોએ પોતાના જીવ બીજાની બેદરકારીને કારણે જતા હોય છે.  ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!