બિહારમાં સ્થાનિક બીજેપી નેતાની ગોળી મારીને કરાઈ હત્યા,મોટી સંખ્યામાં લોકોએ કર્યો ચક્કાજામ


  • Published By :
  • Published Date : 2022-11-07 12:38:54

બિહારના કટિહાર જિલ્લામાં આજે સ્થાનિક બીજેપી નેતા સંજીવ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

Image

પોલીસના જણાવ્યા અનુસાર, બે બાઇક સવારો તેલટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિશ્રાના ઘરે પહોંચ્યા અને તેમને ગોળી મારી દીધી. જૂની અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ હત્યાના વિરોધમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.