કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 13:02:27

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં વધારો જોવા મળતા લોકોની ચિંતામાં વધારો થયો છે. ભારત દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1134 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ 5 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 7026 થઈ ગઈ છે. 


 1134 લોકો થયા કોરોના સંક્રમિત!    

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1134 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ કેરળમાં લોકોના મોત થયા હતા. 24 કલાકમાં કોરોનાના 1 લાખ 3 હજાર 831 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હજી સુધી 220.65 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.