કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:12:21

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત પણ કોરોનાને કારણે થઈ ગયા હતા. થોડા સમયથી કોરોના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસોથી કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ડબલ ડિજિટમાં આંકડાઓ નોંધાઈ રહ્યા છે જેને કારણે ચિંતા વધી છે. 


કોરોનાના નોંધાયા નવા 30 કેસ 

કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસોથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સિંગલ ડિજિટમાં નોંધાતા આંકડા હવે ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધી વિતેલા 24 કલાકનો આંકડો આવ્યો હતો. કોરોના સંક્રમિતોની સંખ્યા 30 નોંધાઈ હતી. અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા, રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 દર્દીઓ નોંધાયા છે. 


વધતા કેસોને કારણે વધી ચિંતા 

હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અનેક લોકો શર્દી-ઉધરસનો શિકાર બન્યા છે. તાવ પણ આવી રહ્યો છે. વાયરલના શિકાર લોકો બની રહ્યા છે. વાયરલના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો નથી. કોરોનાનો સબ વેરિયન્ટે પણ ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ત્યારે વધતા કોરોના કેસે ચિંતા વધારી છે. દરેક લોકોએ આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની જરૂર છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.