વડોદરાનાં વિખ્યાત યુનાઇટેડ ગરબામાં ભારે હોબાળો:ગાયક અતુલ પુરોહિત પર પથ્થર મારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 10:52:55

યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન; અતુલ પુરોહિત પર પથ્થર ફેંકાની ઘટના સામે આવી છે.ખેલૈયાઓનું કહેવું છે કે બે દિવસથી ગ્રાઉન્ડમાં મોટા પથ્થરો છે જેને લઈને અમને ગરબા રામવામાં અડચણ પડી રહી છે અમે મોટી રકામ ચૂકવી પાસ લઈને રમવા આવીએ છીએ.છતાં આ આયોજકો આવી બેદરકારીથી વંચિત છે.ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

  

વડોદરા: યુનાઇટેડ વે ઓફ બરોડા નવરાત્રી 2022 ના ગરબા ગ્રાઉન્ડમાં હાજર હજારો ખેલૈયાઓએ ગરબા ગ્રાઉન્ડ પર ઘણા બધા પથ્થરો હોવાની સામૂહિક ફરિયાદ કર્યા બાદ પોલીસ ગ્રાઉન્ડ પર પહોંચી હતી.


ખેલૈયાઓએ નવરાત્રિની પહેલી રાત્રે પણ જમીન પર પત્થરો હોવાની ફરિયાદ કરી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા... 'પથ્થર. પથ્થર.

ખેલૈયા: નવરાત્રિની બીજી રાત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે એમ પણ કહેવામાં આવ્યું હતું. જો કે બીજી રાત્રે પણ, તેઓએ જોયું કે જમીન પર પથ્થરો હટાવાયા નથી.

A Navratri experience in vibrant Vadodara - Savaari Blog

ગરબા પ્રેમીઓ ખુલ્લા પગે ગરબા રમે છે અને તેથી ગરબા ગ્રાઉન્ડની સંપૂર્ણ સફાઈ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે આ વર્ષે નવરાત્રિની પહેલી અને બીજી રાત્રે આયોજકો પહેલીવાર આ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. ગરબા પ્રેમીઓ કે જેમણે ખૂબ જ મોંઘા સિઝન પાસ ખરીદ્યા છે તેઓએ રિફંડની માંગણી કરી કે જમીન પરના પથ્થરોને કારણે તેમની નવમાંથી બે રાત વેડફાઈ ગઈ હતી.


ગાયક અતુલ પુરોહિત કે જેઓ દર વર્ષે આ ગરબા ગ્રાઉન્ડ પર તેમના મ્યુઝિકલ ગ્રૂપ સાથે પર્ફોર્મ કરે છે, હાથમાં માઈક લઈને ઉભા થયા અને કહ્યું કે પહેલીવાર ગરબા પ્રેમીઓએ તેમને નિશાન બનાવીને પથ્થર ફેંક્યો હતો અને તે તેમના કપાળ પર વાગ્યો હતો. પુરોહિતે યુવાનોને સંબોધતા કહ્યું કે જો મેદાનની સફાઈ યોગ્ય રીતે નહીં થાય તો તેઓ નવરાત્રીની ત્રીજી રાત્રે ગાવાનું શરૂ નહીં કરે.

Atul Purohit Live 2022

હજારો યુવાનોએ વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી, માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેલૈયાઓને તેમનો વિરોધ છોડી દેવા કહ્યું. જો કે ભીડ હટતી ન હતી અને રિફંડની માંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવકોએ પોલીસને જણાવ્યું કે નવરાત્રીની પહેલી રાત્રે પણ તેઓએ આ મુદ્દે ફરિયાદ કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલૈયા હવે માત્ર રિફંડ ઇચ્છે છે,આયોજકોએ જાહેરાત કરી કે રિફંડના મુદ્દા માટે, આવતીકાલે દિવસના ગ્રાઉન્ડની બહારની ટિકિટ વિન્ડો પર સંપર્ક કરી શકશો. પોલીસે યુવાનોમાંથી એક પ્રતિનિધિને સ્ટેજ પર બોલાવ્યો અને તેને સાંભળ્યો પોલીસે તમામ વાતો સાંભળી આ મુદ્દે ફરિયાદો સાથે માંજલપુર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું.




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.