ભરૂચ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર સુધી દેખાયા હતા ધૂમાડા!


  • Published By :
  • Published Date : 2023-03-22 10:43:37

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટા પાયે નુકસાન થતું હોય છે. ત્યારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કિલોમીટર દૂરથી ધૂમાડા દેખાતા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની અનેક ટીમો આવી પહોંચી હતી.

 


પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગના કિસ્સાઓ છે જેને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ઉપરાંત જાનહાની પણ થાય છે. ત્યારે બુધવારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી. નર્મદા પ્લાસ્ટિક કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા  ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચાલુ રખાયો હતો. મળતી માહિતી અનુસાર વેરહાઉસમાં રહેલા પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને કારણે આગ પર કાબુ મેળવવો એક પડકાર સ્વરૂપ હતું. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.   


સતત બીજા દિવસે જીઆઈડીસીમાં બન્યો આગ લાગવાનો બનાવ  

મહત્વનું છે કે મંગળવારે પણ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે બુધવારે પણ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્લાસ્ટિકની કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાને કારણે વેરહાઉસ નજીક રહેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.