South Africaના જોહાનિસબર્ગની આ બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, આગમાં આટલી જિંદગી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-31 17:17:08

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાંચ માળની હાઈ રાઈસ બિલ્ડીંગમાં એકાએક આગ લાગતા અનેક જીંદગીઓ જીવતી હોમાઈ છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 73 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાળકો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાપ સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. 


    

બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે બનેલી આગની ઘટના દક્ષિણ આફ્રિકામાં બની  છે. બહુ માળી ઈમારતમાં આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં 73 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  આ ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરૂવાર સવારે આગ લાગી હતી. 

આગ લાગ્યા બાદ ઈમારતની બહાર હાજર બચાવકર્મીઓ.

બિલ્ડિંગમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો જે પાછળ ધાબળો ઓઢીને બેઠેલો દેખાય છે.

જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં રહેતા હતા આ લોકો   

આગ લાગવાની ઘટનાની જાણ થતાં રેસ્ક્યુની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોને વિવિધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. એવા પણ સમાચારો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરવિહોણા લોકો આ બિલ્ડીંગમાં રહેતા હતા. ત્યાં રહેતા લોકોએ સત્તાવાર રીતે કોઈ કરાર કર્યો ન હતો. કયા કારણોસર બિલ્ડીંગમાં આગ લાગી તે જાણી શકાયું નથી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!