મહારાષ્ટ્રમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ભૂષણ પુરસ્કાર સમારોહમાં હાજર લોકોએ લૂ લાગવાને કારણે ગુમાવ્યો જીવ! સરકારે કરી મૃતકોને વળતર ચૂકવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-17 09:33:15

આ વખતની ગરમી આકરી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, અનેક રાજ્યો માટે હિટવેવ તેમજ લૂની આગાહી પણ કરવામાં  આવી હતી. ત્યારે ગરમી અને લૂ લાગવાને કારણે મહારાષ્ટ્રમાં 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર ઈવેન્ટ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારના 11.30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે ગરમીનું પ્રમાણ વધતા અનેક લોકોની તબિયત લથડી ગઈ હતી. હિટવેવને કારણે અંદાજીત 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 24 જેટલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

મોટી સંખ્યામાં લોકો હતા ઈવેન્ટમાં હાજર!

દેશના અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી. તેમજ લૂની આગાહી પણ કરવામાં આવી હતી. અનેક વખત ગરમી તેમજ લૂને કારણે લોકોના મોત થતા હોય છે ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. હિટસ્ટ્રોકને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની સારવાર ચાલી રહી છે. આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરાયું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

 


લોકો જ્યાં બેસવાના હતા ત્યાં કરાઈ ન હતી શેડની વ્યવસ્થા! 

આ કાર્યક્રમમાં અમિત શાહે સમાજસેવી દત્તાત્રેય નારાયણને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. લાખોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત લથડી હતી. કારણ કે લોકો માટે ખુલ્લા મેદાનમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં લોકોને બેસાડવામાં આવ્યા તે મેદાન પર શેડની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અચાનક ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. અને અનેક લોકોના મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ સવારે 10.30ની આસપાસ સમાપ્ત થવાનો હતો પરંતુ બપોરના એક વાગ્યા સુધી પણ કાર્યક્રમ પૂરો થયો ન હતો. જેને કારણે ગરમીનું પ્રમાણ વધતું ગયું હતું. ડિહાઈડ્રેશનને કારણે લોકો ચક્કર ખાઈને પડવા લાગ્યા હતા.  

    

મૃતકોને વળતર ચૂકવવાની કરાઈ જાહેરાત 

આ ઘટનામાં મૃતકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મૃતકોને 5 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે સારવાર લઈ રહેલા લોકોનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આ જે ઘટના બની તેનું જવાબદાર કોણ? એક તરફ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવે છે તો બીજી તરફ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો હાજરી આપવાના હોય છે. . ઉપરાંત આ કાર્યક્રમમાં લોકો ગરમીથી રક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી.  




   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!