ગીર સોમનાથ જિલ્લાના ગીર ધાવા ગામની હૈયું હચમચાવી દેતી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 18:46:06

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવમાં ધોરણમાં ભણતી ધ્રુવા અકબરી નામની દીકરીની આઠમાં નોરતે બલિ ચડાવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

પિતાને હતું દિકરીને માયા છે

સગા બાપે પોતાની દીકરીની બલિ ચડાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. દિકરીના પિતાને એવું હતું કે તેની દિકરીને માયા છે. તેની દિકરી શક્તિશાળી છે. પિતાને એવું હતું કે તેની દિકરીની હત્યા કરીએ તો પણ તે મરશે નહીં. અખતરા માટે તેમણે પોતાની દિકરીને મારી નાખી હતી પણ દિકરી જીવતી ના થઈ તો ત્રણ દિવસ બાદ ચૂપચાપ અગ્નિસંસ્કાર કરી દિધા હતા. પિતાએ સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવા પ્રયાસોની કર્યાની ચર્ચા ચાલી રહી છે. સગીરા જીવિત ના થતાં આખરે સગીરાના મૃતદેહને સળગાવી દેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્રણ મહિના અગાઉ દિકરી સુરત છોડી ગામની શાળામાં એડમિશન અપાવ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર ફેલાયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.




અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોઝો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં આવી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે.

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.