જોધપુરમાં બની દિલને કંપાવી દે તેવી ઘટના, અંગત અદાવતે લીધો આટલા લોકોનો ભોગ! જાણો ક્યાં બની આ ઘટના


  • Published By :
  • Published Date : 2023-07-19 11:02:15

અનેક વાતોને લઈ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળતો હોય છે. જો આપણે વાતથી સહેમત નથી હોતા તો આપણે એ વાત માનવાનો ઈન્કાર કરી લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ વખત અંગત અદાવત એ હદે પહોંચી જાય કે હત્યા કરવા પર લોકો આવી પહોંચતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પરિવારના સભ્યો ઉંઘતા હતા ત્યારે તેમને સળગાવી દીધા હતા. મૃતકોમાં ચાર મહિનાના બાળકનો પણ સમાવેશ થયો છે.    


પરિવારના ચાર સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ 

હત્યાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકો હત્યા કરી દેતા હોય છે તેવા પણ આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અંગત અદાવતને ધ્યાનમાં રાખી લોકો હત્યા કરતા પહેલા પણ નથી વિચારતા. ત્યારે એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બુધવાર સવારે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ચૌરાઈ ગામની છે. 


આ ઘટના અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મંગળવાર રાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઉંઘી રહ્યા હતા અને તે દરમિયાન ધારદાર હથિયારથી પહેલા તેમનું ગળું કાપવામાં આવ્યું હતું. અને તે બાદ ઘરના આંગણામાં તેમને ખસેડવામાં આવ્યા અને ત્યાં લાવી તેમને સળગાવી દીધા હતા. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કોણે હત્યા કરી, કેટલા લોકોએ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગ્રામજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે લાશ જોઈ.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે