અમદાવાદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના, દસમા માળેથી નવજાત બાળકને નીચે ફેંક્યો! બાળકની હત્યા અંગે પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-19 14:36:34

નવજાત બાળકની હત્યા કરવાની ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર બાળકને 10માં માળથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ ઘટના ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં બની છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે કે આ નવજાત બાળકીની હત્યા કોણે કરી તેમજ આ હત્યા કેમ કરવામાં આવી? 


નવજાત બાળકને દસમા માળેથી નીચે ફેંક્યો! 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિલને મચમચાવી દે તેવી ઘટના બની હતી. આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવાય છે. ત્યારે દસમા માળેથી બાળકને નીચે ફેંકવાની માહિતી સામે આવી છે. નવજાત બાળકો પર લોકો પ્રેમ વરસાવતા હોય છે. બાળકને પોતાથી નજીક રાખે છે. બાળકો પર જાન વરસાવતા હોય છે ત્યારે આવી ઘટના શા માટે બની તે જાણી શકાયું નથી. ત્યારે ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બાળકના હત્યારાને શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.