અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, માઈનસમાં તાપમાન હોવાને કારણે બગડી તબિયત, અને પછી લીધા અંતિમ શ્વાસ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-09 14:09:50

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે છેલ્લા અનેક દિવસોથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ યાત્રા રોકી દેવામાં આવી હતી. હવામાન સારૂ થતાં યાત્રાને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે તેમજ પર્વતો હોવાને કારણે ત્યાં ભયંકર ઠંડી પડતી હોય છે. ત્યારે અસહ્ય ઠંડી પડવાને કારણે ગુજરાતથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે વડોદરાના રહેવાસી હતા. 


ખરાબ હવામાનને કારણે રોકાઈ હતી યાત્રા 

દેશના અનેક રાજ્યોમાંથી બાબા બરફાનીના દર્શન કરવા ભક્તો અમરનાથ જતા હોય છે. દર્શનાર્થીઓની સંખ્યા લાખોમાં પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાંથી પણ અનેક ભક્તો અમરનાથના દર્શને ગયા છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન થવાને કારણે હાલ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યાત્રાને ફરી શરૂ કરી દેવામાં આવી છે. બાબા અમરનાથના દર્શન માટે માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન ભક્તોને સહન કરવું પડતું હોય છે. ત્યારે ઠંડીને કારણે વડોદરાથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિ શિવધામ પહોંચ્યા છે તેમનું નામ રમણભાઈ પરમાર છે અને તે પોતાના સહકર્મી સાથે અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા. 


વધારે પડતી ઠંડી ન કરી શક્યા સહન

પહેલગામથી તેમણે અમરનાથ ચાત્રા શરૂ કરી હતી. પરંતુ ખરાબ હવામાન હોવાને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. દર્શને આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. ભક્તોને અધવચ્ચે રોકી દેવાયા હતા. ત્યારે અતિશય પડતી ઠંડી રમણભાઈ સહન ન કરી શક્યા અને તે બીમાર પડી ગયા. તબિયત વધુ બગડવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. પરિવારના મોભીના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.            



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.