અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, પરિવાર થયું શોકમગ્ન, આ કારણથી ગયો મૃતકનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-17 14:28:37

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને બંધ પણ રાખવામાં આવી હતી. ગુજરાતથી પણ અનેક ભક્તો અમરનાથની યાત્રાએ ગયા હતા. થોડા સમય પહેલા એક ગુજરાતીનું મોત યાત્રા દરમિયાન થયું હતું ત્યારે ફરી એક ગુજરાતીનું મોત અમરનાથ યાત્રા દરમિયાન થયું છે. બાબા બર્ફાનીના દર્શન કરે તે પહેલા જ પહેલગામની હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવ્યા જેને કારણે અંતે તેમનું મોત થઈ ગયું છે. પરિવારના સભ્યની આકસ્મિક વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

ગણેશ કદમના ઘરે શોકનો માહોલ.

સતત ત્રણ એટેક આવવાને કારણે થયું મોત

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તે અમરનાથની યાત્રા કરવા ગયા હતા. બાબાના દર્શન કરે તે પહેલા જ તેઓ હાર્ટ એટેકના શિકાર બની ગયા. પહેલગામના રૂટથી અમરનાથના દર્શન કરવા પહોંચવાના હતા. પહેલગામમાં અચાનક તેમને ઉલ્ટીઓ શરૂ થઈ જેને લઈ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા પરંતુ ત્રીજો હાર્ટ એટેકે તેમનો જીવ લઈ લીધો. ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. જે વ્યક્તિનું મોત થયું છે તે વડોદરાના રહેવાસી હતા. તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. ગણેશ કદમ પોતાના મિત્ર સાથે અમરનાથની યાત્રા કરવા ગયા હતા.   



ઓક્સિજન ઘટવાને કારણે થયું હતું ગુજરાતીનું મોત   

થોડા દિવસો પહેલા પણ ગુજરાતથી અમરનાથ યાત્રા કરવા પહોંચેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અમરનાથના દર્શન કરવા માટે ભક્તો અનેક વખત કષ્ટ સહન કરવા પડતા હોય છે. અનેક વખત ખરાબ હવામાનને કારણે યાત્રાને રોકી દેવાતી હોય છે. ભારે વરસાદને કારણે તેમજ માઈનસમાં અનેક વખત તાપમાન પહોંચી જતું હોય છે, ત્યારે માઈનસમાં તાપમાન પહોંચવાને તેમજ ઓક્સિજન લેવલ ઘટવાને કારણે એક ગુજરાતીનું મોત ત્યાં થયું હતું. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, યોગા કરતી વખતે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.