સીમા હૈદરની જેમ પ્રેમમાં પાગલ બનેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી! પરંતુ લવ સ્ટોરીમાં આવી ટ્વિસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 14:40:56

PUBG રમી ભારતીયના પ્રેમમાં પાગલ થયેલી સીમા હૈદર વિશે તો આપણે જાણીએ છીએ. પ્રેમ સાથે રહેવા માટે પાકિસ્તાનથી પોતાના ચાર બાળકોને લઈ ભારત આવી પહોંચી. આ ઘટનાને હજી લાંબો સમય નથી વિત્યો ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ વખતની જે કહાણી છે તેમાં છોકરી પાકિસ્તાનથી નહીં પરંતુ બાંગ્લાદેશથી આવી છે. પ્રેમમાં પાગલ થયેલી પ્રેમી પોતાનો દેશ છોડી ગેરકાયદેસર રીતે ભારત આવી પહોંચી છે.   


પ્રેમમાં પાગલ થયેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી 

કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદ નથી નડતી. સીમા હૈદરની પ્રેમ કહાનીથી આપણે સૌ વાકેફ છીએ પરંતુ જે વાત આજે કરવાની છે તે પશ્ચિમ બંગાળની છે. ત્યાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. સીમાને તો ખેર એનો સચિન મળી ગયો પણ આ યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. આ વાત છે બાંગ્લાદેશથી આવેલી 21 વર્ષિય સપલા અખ્તરની. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી પકડી છે અત્યારે કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. 


સિલીગુડી રેલ્વે સ્ટેશનથી યુવતીની કરાઈ ધરપકડ 

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમીને મળવા અહીં આવી હતી. પણ પ્રેમીને મળ્યાના થોડા દિવસો  બાદ તે ખબર પડી કે તેનો પ્રેમી દગાબાજ છે. તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો. સિપલાને વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.


પ્રેમમાં યુવતીને મળ્યો દગો

છોકરીએ પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજો ન હતા, તો તેણે જીવને જોખમમાં નાખી, પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીની વાત સાંભળ્યા બાદને હવે પોલીસ તે યુવકની શોધખોળ કરી રહી છે. તો આગળ આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું. 


સીમા અને સચિનની શું હતી લવસ્ટોરી? 

જો તમને સીમા અને સચિનની સ્ટોરી વિષે ખ્યાલ નથી તો સંક્ષિપ્તમાં કહું તો PUBG રમતી વખતે સીમા હૈદર સચિનને ​​મળી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંનેએ પોતાના મોબાઈલ નંબર શેર કર્યા. ત્યારબાદ તે 10 માર્ચે નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પાકિસ્તાન પરત ફર્યો હતો. પરંતુ તે સચિન સાથે જ રહેવા માંગતી હતી. જે બાદ તે 10 મેના રોજ પોતાના ચાર બાળકો સાથે કરાચી શહેરથી શારજાહ પહોંચી હતી. પછી ફ્લાઈટ દ્વારા કાઠમંડુ પહોંચ્યા. અને ખાનગી વાહન દ્વારા પોખરા પહોંચ્યા હતા. આ પછી બસમાં દિલ્હી આવી ગઈ!




પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.