ફાયરિંગની ઘટનામાં ઈટલીના વડાપ્રધાનના મિત્ર સહિત અન્ય લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-12 13:49:35

વિદેશમાં ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે ઈટલીની રાજધાની રોમમાં રવિવાર રાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યા હોવાના સમાચાર ન્યુઝ એજન્સી રોયટર્સએ ઈતાલવી મીડિયાના હવાલેથી આ સમાચાર આપ્યા છે. મળતી માહિતી અનુસાર રોમના એક એપાર્ટમેન્ટમાં બ્લોક નિવાસીઓની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન બંદુક લઈ એક વ્યક્તિ બંદુક લઈને પહોંચી ગયો હતો અને ફાયરિંગ કરવા લાગ્યો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.


અનેક લોકોના થયા મોત

આ મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીના એક દોસ્તનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી. અને લખ્યું હતું કે મારા માટેએ હમેશા આવી રીતે ખુશ રહેશે. આ સિવાય અનેક લોકોઆ ગોળીબારને કારણે ઘાયલ થયા છે. પોલીસે આ મામલાને ધ્યાનમાં રાખી 57 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.



પોલીસે આરોપીને ઝડપી પાડ્યો  

પીએમએ વધુમાં કહ્યું કે જે બંદુકથી આ હુમલો કરવામાં આવ્યો છે એ બંદુકને કબજે લઈ લેવામાં આવી છે. પોલીસે ગોળીબારી કરનાર 57 વર્ષના વ્યક્તિને ડબોચી લીધો છે અને શહરના ફિદીન જેલમાં રાખવામાં આવ્યો છે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.