મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવ્યા વિવાદમાં, નરેન્દ્ર મોદીને લઈ કરી હતી ટિપ્પણી


  • Published By :
  • Published Date : 2022-12-12 15:00:19

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવી પડશે તેવી વાત કરતા સંભળાય છે. આ વીડિયોને લઈ ભાજપ એકદમ આક્રામક રૂપ આ વાતને વખોડી રહ્યા છે.

  

મોદીની હત્યા કરવા તત્પર રહો - રાજા પટેરિયા

રાજા પટેરિયા એક કાર્યક્રમમાં કોર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી પર ચર્ચા કરી રહ્યા હતા. વાયરલ વીડિયો પ્રમાણે તેઓ કહેતા હતા કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. આવી બધી વાતો વાયરલ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. પરંતુ અચાનક તેઓ બોલ્યા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો, હત્યાનો મતલબ હરાવા માટે તત્પર રહો.


ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વીડિયો સામે આવતા ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપી છે. આ વાયરલ વીડિયોની પ્રતિક્રિયા આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરવા વાળાઓની અસલિયત સામે આવી છે. આ સિવાય અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને લઈ રાજા પટેરિયાએ સ્પષ્ટતા આપી છે.


હત્યાનો અર્થ એટલે કે ચૂંટણીમાં હરાવું - રાજા પટેરિયા

આ વાયરલ વીડિયોને લઈ વિવાદ વધે તે પહેલા રાજા પટેરિયાએ કહ્યું કે હત્યા કરવાનો અર્થ છે કે ચૂંટણીમાં હરાવો. તેમના કહેવા મુજબ આ વાક્ય અચાનક તેમના દ્વારા કહેવાઈ ગયું છે. વાતોના ફ્લોમાં આ વાત કહેવાઈ ગઈ છે. પરંતુ આ નિવેદનને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ સોલંકીએ એફઆઈઆર દર્જ કરવાનો આદેશ આપ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.