મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની હતી આશંકા, જામનગરમાં લેન્ડિંગ કરી કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-10 09:49:22

સોમવાર સાંજે જામનગર એરપોર્ટ પર મોસ્કો જવા વાળી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે એરપોર્ટ પર જામનગરના કલેક્ટર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી.

 

એનઅસજીની ટીમ જામનગરમાં કરી રહી છે તપાસ 

મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટ રશિયન એરલાઈન AZURની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. બોમ્બની આશંકાને પગલે બોમ્બ સ્કોડની ટીમે ફ્લાઈટની અંદર તપાસ શરૂ કરી હતી. એનએસજીની ટીમો જામનગર ખાતે આવી પહોંચી હતી અને તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તમામ પેસેન્જરનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે.

     


ગોવા એરપોર્ટ ઓથોરિટીને બોમ્બનો મળ્યો હતો ઈ-મેલ 

આ માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈમરજન્સી લેન્ડિંગ થતા તંત્રમાં દોડધામ વધી ગઈ હતી. બોમ્બ હોવાની અફવાને પગલે પ્લેનમાં તપાસ કરવામાં આવી રહી છે. એનએસજી સતત છ કલાકથી બોમ્બની શોધખોળ કરી રહી છે. ગોવા ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈ-મેલ મળ્યો હતો જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમાચારને પગલે જામનગરના અધિકારીઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. હજી સુધીની માહિતી અનુસાર ફ્લાઈટમાંથી બોમ્બ નથી મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી  કોઈ ગંભીર બાબત સામે નથી આવી, આ  અફવા હોઈ શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ તંત્ર આ અંગે તપાસ કરી રહી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે સવારે 10 વાગ્યે ફ્લાઈટ ઉડાન ભરી શકે છે.

    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.