Rajkot જેવો અગ્નિકાંડ Delhiમાં બન્યો! બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 જેટલા નવજાત શિશુઓના થયા મોત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 11:23:53

એક તરફ રાજકોટમાં બનેલી દુર્ઘટનાની વાતો કરી રહ્યા છીએ, અનેક બાળકોના મોત આમાં થયા છે તો બીજી તરફ આગની બીજી ઘટના દિલ્હીમાં બની છે.. દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં 6થી 7 જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે બીજા બાળકોને સારવાર માટે બીજે ખસેડવામાં આવ્યા છે.. 6 જેટલા નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે.. એકાએક શનિવારે આગ ભભૂકી ઉઠી હતી.. 

 

બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 નવજાત શિશુઓના મોત

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોના મોત આગમાં બળી જવાને કારણે થઈ ગયા છે.. રાજકોટમાં બનેલી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ ત્યાં તો દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં સાત જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે 12 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું છે..રેસ્ક્યુ કરાયેલા બાળકોને બીજી હોસ્પિટલ સિફ્ટ કરવામાં આવ્યા છે.. 


રાજકોટમાં પણ થયો અગ્નિકાંડ!

મહત્વનું છે કે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. તાજેતરમાં જ આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં આગ લાગી અને લોકો મોતને ભેટી ગયા... રાજકોટમાં બનેલી ઘટનામાં પણ મૃત્યુઆંક 28 નજીક પહોંચી ગયો છે.. શહેર બદલાય છે, રાજ્ય બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ છે.. પરિવારજનોનો આક્રંદ નથી બદલાતો..  



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..