દિવાળીના દિવસે અમદાવાદમાં બન્યો આગનો બનાવ


  • Published By :
  • Published Date : 2022-10-25 11:19:48

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે દિવાળીના દિવસે મોડી રાત્રે અમદાવાદના સારંગપૂર વિસ્તારમાં આગ લાગી હતી. સારંગપૂર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં આવેલા લાલનું ડેહલું નામની જગ્યામાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ગેસના સિલિન્ડર ફાટતા આગે વિકરાળ રૂપ ઘારણ કર્યું

કાપડ વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા, આગે જોતજોતામાં વિકરાળ રૂપ લઈ લીધું હતું. ગોડાઉનની સાથે સાથે અને મકાનો પણ આગની ઝપેટામાં આવી ગયા હતા. આગ લાગવાને કારણે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. આગ લાગવાને કારણે ત્રણ સિલિન્ડર ફાટ્યા હતા. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

કાપડના ગોડાઉનમાં તેમજ ઘરમાં આગ લાગતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંતી હતી. 11 જેટલા ઘરોમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.  રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવી જતા ઘરમાં રહેતા લોકોનું રેસ્ક્યું કરી લીધું હતું. મળતી માહિતી મુજબ 6 ઘરો સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.