ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે મેળવ્યો આગ પર કાબુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 11:48:32

ગુજરાતમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આગને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગ લાગી હતી. ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળમાં આગ લાગી હતી. આ આગની ઝપેટમાં વિકાસ કમિશ્નરની કચેરી આવી ગઈ હતી. બારીમાંથી ધુમાડા નીકળતા દેખાતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઓફિસમાં આગ પ્રસરી ઉઠી હતી. આગ લાગવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.



ઓફિસ શરૂ થતા પહેલા આગ લાગતા ટળી જાનહાની  

આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની ચાર ટીમે આવી આ આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઓફિસ શરૂ થાય તે પહેલા આગ લાગતા જાનહાની ટળી હતી. પરંતુ આગ લાગવાને કારણે ઓફિસમાં રહેલા કાગળ તેમજ મહત્વના ડોક્યુમેન્ટ બળી ગયા છે. આગ કયાં કારણસર લાગી તે અંગેની તપાસ FSLની ટીમ દ્વારા કરવામાં આવશે. તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ સામે આવશે.  



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.