અમદાવાદના ગાંધી બ્રિજ નજીક આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ


  • Published By :
  • Published Date : 2023-01-25 18:16:39

અમદાવાદમાં આગની ઘટનામાં વધારો થયો છે. આગ લાગવાની ઘટના ફરી એક વખત ગાંધીબ્રિજના છેડા પર આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી હતી. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોતજોતમાં દુકાન આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.



ફર્નિચરની દુકાનમાં લાગી આગ 

અમદાવાદમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરના ગાંધી બ્રિજના છેડે આવેલી ફર્નિચરની દુકાનમાં એકાએક આગ લાગી હતી. ફર્નિચરની દુકાન હોવાને કારણે આગે થોડાક જ સમયમાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. 


આગ લાગવાની ઘટનામાં થયો છે વધારો 

થોડા સમય પહેલા શાહીબાગની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગી હતી. તે પહેલા પણ અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. આ ઘટનામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.