રાજકોટમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં લાગી આગ, અનેક કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-06-22 16:22:34

રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે રાજકોટમાં આવેલી રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અચાનક આગ ફાટી નીકળતા દુકાન બહાર મૂકાયેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફર્નિચર ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જેને કારણે ગોડાઉનમાં રહેલો 60થી 70 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની 8 જેટલી ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળ જોવા મળતી હતી.     

      

60થી 70 લાખનો સામાન બળીને થયો ખાખ!  

રાજકોટ મવડી વિસ્તારમાં આવેલા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 8 જેટલી ટીમો ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાને કારણે ગોડાઉનમાં રહેલા 60થી70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી છે. બહાર ઉભેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. 



આગને કારણે દુકાન બળીને થઈ ખાખ! 

આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર ચીફ ઓફિસરે જણાવતા કહ્યું કે આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આખી બિલ્ડીંગ બળીને ખાખ થઈ ગઈ હતી. ફર્નિચર ગોડાઉનમાં વર્કરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની 8 જેટલી ટીમો ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.       




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!