રાજકોટમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં લાગી આગ, અનેક કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-06-22 16:22:34

રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે રાજકોટમાં આવેલી રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અચાનક આગ ફાટી નીકળતા દુકાન બહાર મૂકાયેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફર્નિચર ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જેને કારણે ગોડાઉનમાં રહેલો 60થી 70 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની 8 જેટલી ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળ જોવા મળતી હતી.     

      

60થી 70 લાખનો સામાન બળીને થયો ખાખ!  

રાજકોટ મવડી વિસ્તારમાં આવેલા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 8 જેટલી ટીમો ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાને કારણે ગોડાઉનમાં રહેલા 60થી70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી છે. બહાર ઉભેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. 



આગને કારણે દુકાન બળીને થઈ ખાખ! 

આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર ચીફ ઓફિસરે જણાવતા કહ્યું કે આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આખી બિલ્ડીંગ બળીને ખાખ થઈ ગઈ હતી. ફર્નિચર ગોડાઉનમાં વર્કરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની 8 જેટલી ટીમો ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.