ઝારખંડના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,પૂજા માટે કરવામાં આવેલા દિવાને કારણે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-01 11:24:59

ઝારખંડના ધનબાદ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. મંગળવાર સવારે 6 વાગ્યાની આસપાસ 10 માળા વાળા આશીર્વાદ ટ્વીન બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજીત 14 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા પણ છે. તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળે પહોંચી  

આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એક ભીષણ આગ ઝારખંડના ધનબાદ વિસ્તારમાં લાગી હતી. 10 માળના આશીર્વાદ ટ્વિન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરિવારે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવ્યો હતો. પૂજા દરમિયાન કરવામાં આવેલા દીવાને બાળકે નીચે પાડી દીધો. જેને કારણે કારપેટમાં આગ ફેલાઈ ગઈ. ગેસ સિલિન્ડરના સંપર્કમાં આવવાને કારણે આગ વધુ વિકરાળ થઈ ગઈ અને આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ. 


વધી શકે છે મોતનો આંકડો 

આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ચોથા માળ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આગ જોતા લોકોએ બૂમો પાડવાની શરૂઆત કરી હતી. અવાજ સાંભળીને ગાર્ડ બહાર આવ્યો અને આગની ઘટનાની જાણ થઈ. અનેક લોકો બાલ્કનીની બહાર આવી ગયા. પરંતુ દરેક જગ્યા પર આગ જ આગ હતી. જેને કારણે બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 20 ગાડીયો પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજીત 14 લોકોના મોત થયા છે અને આ આંકડો વધી પણ  શકે છે.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.