અરવલ્લીમાં રાત્રીના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતનું થયું મોત! પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:19:26

રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. આપણે રાત્રે સુતા હોઈએ છીએ. ત્યારે અનેક ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા હોય છે. અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે પાણી વાળવા ગયા હતા તે દરમિયાન સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે ઠંડીને કારણે તેમનું મૃત્યુ થયું છે. 


થોડા સમય પહેલા થયું હતું ખેડૂતનું મોત 

અનેક વર્ષો બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કાતિલ ઠંડીથી બચવા અનેક લોકો ગરમ કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીને કારણે એક ખેડૂતનું મોત થઈ ગયું હતું ત્યારે ફરી એક ખેડૂતનું મોત ઠંડીને કારણે થયું છે. ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે. 


સવારે વીજળી આપવામાં આવે તેવી કરાઈ માગ 

અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતર વાળવા ગયા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે તેવા આક્ષેપ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્ર સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતનું મોત થતા આસપાસના લોકોમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આસપાસના વિસ્તારના ખેડૂતો સવારે વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.