અમદાવાદના એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 20:58:22


અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પાસે આવેલી શ્રીજી રેસિડેન્સીમાં રહેતા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ ત્રણેય હાલત સ્થિર છે. રામોલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે.


ત્રણેયની હાલત સ્થિર 

વસ્ત્રાલની શ્રીજી રેસિડેન્સી રહેતા એક પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતા-પિતા અને પુત્ર સહિત ત્રણેય સભ્યોએ એકસાથે ઝેર પી લીધું હતું. ત્રણેયને મણિનગરની એલજી હોસ્પિટલમા નાજુક હાલતમાં સારવાર માટે ICUમા દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારે લોનના વ્યાજના કારણે આ પગલું ભર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


કેમ આપઘાતનો પ્રયાસ કર્યો ? 


રમૉલ પીઆઈ સી.આર રણાએ જણાવ્યું હતું કે  આપઘાત માટે પ્રયત્ન કરનાર ત્રણેય વ્યક્તિઓની હાલત અત્યારે સ્થિર છે. જેમાં પરિવારમાં પુત્રે 1.50 લાખ રૂપિયાની ઓનલાઇન લોન લીધી હતી, જેનું વ્યાજ ખૂબ વધી ગયું હોવાના કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.