રખડતા ઢોરના હુમલાને કારણે એક પરિવારે ગુમાવ્યો પોતાનો સદસ્ય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 14:58:25

રાજ્ય તેમજ અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. રખડતા પશુઓને કારણે, નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નરોડા વિસ્તારમાં બાઈક ચાલક ઢોરની અડફેટે આવતા, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. નિર્દોષ વ્યક્તિનું મોત થતા લોકોમાં શાંત થયેલો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો છે. 

તંત્રની બેદરકારીને કારણે લોકોનો જઈ રહ્યો છે જીવ 

 AMCની બેદરકારીને કારણે એક પત્નીએ પોતાનો પતિ,એક માતાએ પોતાનો પુત્ર અને દિકરીઓએ તેમના પિતાને ગુમાવ્યા છે.  મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો એક વૃદ્ધનું મોત રખડતા પશુને કારણે નિપજ્યું હતું. ઉપરાંત રાજ્યના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ પર પણ ઢોરે આક્રમણ કર્યું હતું, જેને કારણે તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આવા તો એક નહી પણ અનેક કિસ્સાઓ છે જેમાં પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો હોય. 
Nitin Patel injured in Kadi after stray cattle attack - રખડતા પશુએ હુમલો  કરતા નીતિન પટેલ ઈજાગ્રસ્ત – News18 Gujarati
Haryana govt forms Animal Welfare Board - The Statesman

શું સ્વીકારાશે મૃતકના પરિવારની માગ

એક તરફ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓ પણ પરેશાની વેઠવા મજબૂર બન્યા છે. બંને સ્થિતિમાં તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તંત્રની નબળી કામગીરીને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાઈકોર્ટે રખડતા પશુઓને પકડવાની કામગીરી AMCને સોંપી હતી. પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ પણ યોગ્ય કામગીરી નથી કરવામાં આવી રહી. ત્યારે મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. ત્યારે શું ખરેખર મૃતકના પરિવારની માગ સ્વીકારાશે કે પછી ઢોરને પકડવાની કામગીરીની માફક માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવશે, તે જોવું રહ્યું. 


અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.