અમદાવાદના શાહપુરમાં રહેતો પરિવાર બન્યો કાળનો કોળિયો, માતા-પિતા સાથે 8 વર્ષના બાળકનું પણ થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 10:49:29

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગ લાગી છે જેમાં 3 લોકોના મોત થયા છે જેમાં પતિ-પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. વહેલી સવારે ઘરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. પરિવાર સૂતો હતો તે દરમિયાન આગ લાગી હતી. આગ લાગતા ઘરમાંથી ધૂમાડો નિકળતા આગ લાગવાની જાણકારી આસપાસના લોકોને થઈ. 




એક જ પરિવારના 3 સભ્યોના થયા મોત 

આગની ઘટનામાં અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે વહેલી સવારે અમદાવાદના શાહપુરમાં આવેલી ન્યૂ.એચ.કોલોનીમાં આવેલા એક ઘરમાં આગ લાગી હતી. પરિવાર સૂતો હતો તે સમયે આગ લાગી હતી જેમાં પતિ-પત્ની અને 8 વર્ષનો બાળક આગમાં હોમાઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની જાણકારી નથી મળી. 





ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબૂ

આગને કારણે ધૂમાડા નીકળતા પડોશી દોડી આવ્યા હતા. અને આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાંથી પતિ-પત્ની અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા નારણપૂરાની આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.