નશેડી પતિએ પરિવારને જીવતો સળગાવી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:51:46

પંજાબના જલંધરથી કંપારી છોડાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જલંધરમાં એક યુવકે સાસુ-સસરા, પત્ની સહિત દિકરી અને દિકરાને જીવતા સળગાવી દેવાનો બનાવ બન્યો છે. કાલીસિંહ નામના વ્યક્તિએ સોમવારે સસરાના ઘરમાં આગ લગાવી દીધી હતી જેથી પરિવાર બળીને ભડથું થઈ ગયો હતો. 


નશેડી પતિએ પરિવારને પતાવ્યો

નશેડી પતિએ અન્ય ત્રણ મિત્રો સાથે આવીને પરિવાર પર હુમલો બોલાવ્યો હતો. પતિ પત્ની અને બાળકોને પીયરથી લેવા માટે જલંધરના બીટલા ગામે ગયો હતો. પત્ની પતિની નશાની આદતથી પરેશાન થઈ પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. સોમવારે પતિ બીટલા પહોંચ્યો હતો ત્યારે પરિવાર પાછો ઘરે આવવા માટે માન્યો ના હતો. પત્નીએ ખુરશૈદપુરા નહીં આવવાની વાત કરતા આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો. 


દિવાસળી ચાંપી પરિવારને જીવતો સળગાવ્યો 

કાલીસિંહ નામનો યુવક બીટલા ગામે જ રોકાયો હતો. પત્નીએ ઘરે આવવાની ના પાડતા તે ખૂબ ગુસ્સામાં હતો. અંતે તેણે પરિવારને પતાવી દેવાનો નિર્ણય લીધો અને તેના દોસ્તો સાથે મળીને સસરાના ઘરે જઈ તાળું મારીને રૂમમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જેથી પત્ની, બે બાળકો અને સાસુ સસરાનું મોત થયું છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.