નશામાં ધૂત કારચાલકે સર્જ્યો પાલનપુર નજીક અકસ્માત, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 15:48:12

થોડા દિવસ પહેલા અમદાવાદમાં નબીરાએ એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે પોતાની અડફેટમાં અનેક નિર્દોષ લોકોને લઈ લીધા હતા. આ ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા હતા. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણને સૌને ખબર છે. દારૂ અનેક જગ્યાઓ પર વેચવામાં આવે છે. તેની જાણ કદાચ પોલીસને પણ હોતી હશે કે આ જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠામાં નશામાં દૂત એક કાર ચાલકે અકસ્માત સર્જાયો છે. ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે.


ચાલુ ગાડીએ કાર ચાલક કરતો હતો દારૂની પાર્ટી

તથ્ય કાંડ બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે. કાયદા ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓવરસ્પીડિંગ, હેલ્મેટ વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે. અનેક લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવી ગઈ છે. ત્યારે બનાસકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ધૂત વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. આબુ હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારી હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં જાન હાની ટળી છે. ઘટનાની જાણ થતાં નશામાં ધૂત કાર ચાલક વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ 

એક તરફ પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે તો બીજી તરફ નબીરાઓના એવા કિસ્સાઓ સામે આવતા હોય જેમાં નબીરાઓને કાયદાનો ડર જ ન હોય તેવું લાગે છે. પાલનપુરમાં અકસ્માતની એક ઘટના બની છે. નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નશાખોર કાર ચાલક ગાડીમાં પાર્ટી કરી રહ્યો હતો જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો. પોલીસ સુધી એ વીડિયો પહોંચતા કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


કાયદાનો લોકોને નથી રહ્યો ડર!

મહત્વનું છે રાજ્યમાં વધતા અકસ્માત ચિંતાનો વિષય છે. અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ અકસ્માતમાં ગુમાવ્યા છે. પ્રશ્ન એ થાય કે પોલીસની બીક શું નબીરાઓને નથી રહી? ખુલ્લેઆમ ડ્રિંક કરી લોકો ડ્રાઈવ કરી રહ્યા છે પરંતુ કોઈને પણ કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી.નશામાં જો અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે તેની પણ તેમને ચિંતા નથી. તમારા માટે એ ભલે મજા હોઈ શકે છે, પરંતુ બીજા માટે એ સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.