Ahmedabadમાં 14 માસના બાળક પર શ્વાને કર્યો હુમલો, વધી રહેલા શ્વાનના આતંક પર ક્યારે લાગશે રોક?


  • Published By :
  • Published Date : 2023-11-17 13:35:31

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્રની ઝાટકણી કોર્ટે અનેક વખત કાઢી છે. એક તરફ રખડતા ઢોર પર નિયંત્રણ લાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાને 14 માસની બાળકી પર હુમલો કરી દીધો. જુહાપુરથી આ ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. નાની બાળકી ફરી એક વખત રખડતા શ્વાનનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર કાઢ્યું.  

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો


14 માસની બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો 

રસ્તા પર જ્યારે તમે નીકળો છો ત્યારે તમારા ખરાબ રસ્તા તેમજ રખડતા ઢોરનો સામનો કરવો પડે છે. રખડતા ઢોરનો આતંક તો હજી શાંત નથી થયો ત્યાં તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. રખડતા ઢોરનો આતંક તો છે જ પરંતુ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનનો આતંક સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 14 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. જુહાપુરા વિસ્તારમાં બાળક ઘરના દરવાજા આગળ રમી રહ્યું હતું ત્યારે શ્વાને તેની પર હુમલો કર્યો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર લાવ્યા. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો છે. 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો,  terror-of-stray-dogs-continues-in-surat-stray-dogs-attacked-a-child-in-two-years

રખડતા શ્વાનના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે એક સવાલ છે! 

બાળક પર શ્વાનના થતા હુમલાની ઘટના નવી નથી. આની પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં શ્વાને બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યા હોય. થોડા મહિના પહેલા જુહાપુરાથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વારંવાર થતી આવી ઘટનાઓ વિચારવા માટે મજબૂર કરે છે કે શું હાઈકોર્ટની ટકોર બાદ જ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે? રખડતા ઢોર પકડવાની કામગીરી હમણા ચાલે છે કે નહીં તે એક ગંભીર પ્રશ્ન છે..! રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે આવો કિસ્સો કોઈની સાથે પણ બની શકે છે. કોઈના બાળક પર રખડતો શ્વાન હુમલો કરી શકે છે..!       



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .