સાંસદનું નામ લખી વેરાવળમાં ડોક્ટરે કર્યો આપઘાત, કાઢવામાં આવી અંતિમયાત્રા


  • Published By :
  • Published Date : 2023-02-13 18:13:01

રાજ્યમાં આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વેરાવળમાં જાણીતા ડોક્ટરે પોતાની હોસ્પિટલના પહેલા માળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારના 11 વાગ્યે ડોક્ટર નિયમીત રીતે નીચે આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ તે નીચે ન આવ્યા. જેને લઈ સ્ટાફ ઉપર ગયો ત્યાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનોની હાજરીમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, 



ડોક્ટરે લખેલી 2 લીટીની સ્યુસાઈડ નોટ


સુસાઈડ નોટમાં લખ્યું વર્તમાન સાંસદનું નામ    

વેરાવળમાં ડોક્ટરના આપઘાત બાદ ચકચાર મચી ગયો હતો. એસટી રોડ પર આવેલી કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ઘરાવતા એમ.ડી ડો. અતુલભાઈ ચગે હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. શનિવારે સુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.સુસાઈડ નોટમાં મરતા પહેલા ડોક્ટરે બે નામ લખ્યા હતા જેમાં રાજેશ ચૂડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદના છે રાજેશ ચુડાસમા છે. આ બેના નામ આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરી હતી. શોક વ્યક્ત કરતા તેમણે ગૃહમંત્રીને આ અંગે તપાસ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરૂ છું.

  



નાણાંકીય લેવડ-દેવડને કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન 

આત્મહત્યા કરવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આપઘાત મામલે આકસ્મિત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સ્યુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે અને નાણાંકીય લેવડ-દેવડની કોઈ ચિંતાને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.



ડોક્ટરની અંતિમયાત્રા



પરિવારજનોની હાજરીમાં કઢાઈ અંતિમયાત્રા 

ડોક્ટરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે આજે વેરાવળમાં ડોક્ટરની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરિવારની સાથે સાથે આ અંતિમ યાત્રામાં સમાજના લોકો પણ જોડાયા હતા.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!