કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ફટકારાઈ માનહાનીની નોટિસ! બજરંગ દળ અંગે આપેલી ટિપ્પણીને લઈ 100 કરોડના માનહાનિ કેસમાં સંગરુર કોર્ટે મોકલ્યું સમન્સ!


  • Published By :
  • Published Date : 2023-05-15 14:28:54

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરૂર કોર્ટે સમન્સ જારી કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડના માનહાનીના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને 10 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

  

100 કરોડનો માનહાનીનો કેસ કરાયો!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી સરકાર કર્ણાટકમાં બનવા જઈ રહી છે. બજરંગદળને લઈ કર્ણાટકમાં ઘમાસણ ચાલ્યું હતું. રાજકારણ ગરમાયું હતું. ત્યારે બજરંગદળ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને કારણે મલ્લિકાર્જુન ખડગેની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગદળ પર આપેલા નિવેદનના સંદર્ભને લઈ સંગરૂરની જિલ્લા અદાલતે તેમને સમન્સ પાઠવ્યું છે.  હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે તેમની સામે 100 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. 


રાહુલ ગાંધી બાદ મલ્લિકાર્જુ ખડગેને મળી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતા નિવેદનનોને કારણે અનેક વખત રાજકીય નેતાઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. થોડા વર્ષો પહેલા મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દોષિત જાહેર કરવામાં  આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબની સંગરૂર કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી અનુસાર હિંદુ સુરક્ષા પરિષદ બજરંગ હિંદના સ્થાપક હિતેશ ભારદ્વાજે કેસ કર્યો છે. 


કોર્ટે માનહાની મામલે સમન્સ પાઠવ્યું!

ભારદ્વાજે કહ્યું જ્યારે મને જાણવા મળ્યું કે ઘોષણા પત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો તેના પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે, ત્યારે મેં ગુરૂવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટે ખડગે વિરૂદ્ધ 100 કરોડનો માનહાની મામલે સમન્સ પાઠવ્યું છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!