જાપાનના વડાપ્રધાન પર થયો જીવલેણ હુમલો! ભાષણ દરમિયાન હુમલાખોરે સ્મોક બોમ્બથી કર્યો ધડાકો


  • Published By :
  • Published Date : 2023-04-15 11:05:13

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વાકાયામાં શહેરમાં પીએમ સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમના પર પાઈપ બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થયા બાદ સુરક્ષા જવાનો દ્વારા પીએમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને પણ દબોચી લીધો છે.   


આ હુમલાનો વીડિયો થયો વાયરલ! 

મળતી માહિતી અનુસાર વાકાયામા જ્યારે રેલીમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક હુમલાખોરે વડાપ્રધાન પર સ્મોક બોમ્બ અથવા તો પાઈપ બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો. હુમલો થતા અફરા-તફરી સર્જાઈ હતી. સુરક્ષા જવાનોએ વડાપ્રધાનને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે શંકાસ્પદ હુમલાખોરને પણ ઝડપી પાડ્યો છે. 



પોલીસકર્મીએ  આરોપીને દબોચી દીધો!    

આ ઘટના અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાનની સભા યોજાઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટો ધડાકો થયો હતો. પીએમનું ભાષણ સાંભળવા આવેલા લોકો ઘટના બાદ આમ તેમ દોડી રહ્યા છે. આ બધા દરમિયાન પોલીસકર્મી દ્વારા તેને દબોચવામાં આવે છે અને તેને જમીન પર પટકવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.