મૌલાના મુફતી સલમાન અઝહરી સામે કચ્છના સામખિયાળીમાં પણ નોંધાયો ગુનો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-06 17:07:47

મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી રહી છે. ગત 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે મુંબઇના ઘાટકોપરમાંથી શુક્રવારે ધરપકડ કરી હતી. આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જો કે આજે મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 


કચ્છના સામખીયાળીમાં નોંધાઈ ફરિયાદ


મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ઉશ્કેરણીજનક ભાષણને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે, એટલુ જ નહીં મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીમાં ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ વિવાદાસ્પદ ભાષણો કર્યું હતું. 


આ કલમો હેઠળ ગુનો નોંધાયો


આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આઇપીસી કલમ 153 બી, 505-(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં બે આરોપી છે. એક મામદ ખાન અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે. તેમાં બનાવ 31 જાન્યુઆરી 2024ના રોજ સામખિયાળીમાં સવારમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતું, એ ભાષણ ઉશ્કેરણીજનક હતું એ અનુસંધાને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!