તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં થયું દંપતીનું મોત, ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કર્યું હતું તાપણું


  • Published By :
  • Published Date : 2023-01-23 10:11:15

રાજ્યમાં અનેક વર્ષો બાદ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. તો અનેક લોકો તાપણાનો ઉપયોગ કરતા હોય છે. ખુલ્લી જગ્યા પર તાપણું કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા ઘરમાં તાપણું કરી રહ્યા છે. તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં રહેતા એક દંપતિનું મોત થઈ ગયું છે.


ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો લોકો કરે છે ઉપયોગ 

ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. શીતલહેર કોને કહેવાય તેનો અનુભવ આ વખતની ઠંડીમાં થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી બચવા ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત અનેક લોકો તાપણાનો ઉપયોગ કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધુમાડાને કારણે વડોદરામાં રહેતા દંપતીનું મોત થયું છે.


તાપણાના ધુમાડાને કારણે ગયો દંપતીનો જીવ 

ઠંડીથી રક્ષણ મેળવવા વડોદરા શહેરના દશરથ વિસ્તારમાં રહેતા દંપતીનું મોત તાપણાના ધુમાડાને કારણે થયું છે. તાપણું કરીને દંપતી સૂઈ ગયા હતા. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામણ થઈ જેને કારણે બંનેના મોત થઈ ગયા. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં બની હતી. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીના મોત થઈ ગયા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.