ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનશે


  • Published By :
  • Published Date : 2022-10-29 17:19:24

ગુજરાત ચૂંટણી નજીક જ છે ત્યારે ભાજપ સરકારે કોમન સિવિલ કૉડ માટે કમિટીની બનાવવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ પત્રકાર પરિષદ કરી હતી. સમાન નાગરિક સંહિતા એટલે એક એવો કાયદો જેમાં તમામ ધર્મોના નિયમો સરખા હશે.  


ટૂંક સમયમાં કમિટી બનાવવામાં આવશે

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનાવવામાં આવશે. આ કમિટી ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. ગુજરાત કેબિનેટે નિર્ણય લેવા માટે મુખ્યમંત્રીને અધિકાર આપી દીધો છે માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે નિર્ણય લેશે. કમિટી ક્યારે બનાવવામાં આવશે તે મામલે ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. હાલ પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે કમિટી ક્યારે બનશે તે હાલ નક્કી નથી પરંતુ ઓછામાં ઓછા ચાર લોકોનો કમિટીની અંદર સમાવેશ કરવામાં આવશે. 


યુનિફોર્મ સિવિલ કૉડના ભાજપે શું ફાયદા ગણાવ્યા?

કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રુપાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત વિસંગતતાઓ દૂર થશે. આનાથી સામાજિક સદભાવનાઓ વધશે. મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે. જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છૂટાછેડા જેવી બાબતોમાં સમાનતા લાગુ થશે. એટલે કે તમામ ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને બાળક દત્તક લેવાના નિયમો સરખા હશે. કોઈ ધર્મોમાં અલગ કાયદાઓ નહીં હોય તમામ ધર્મો એક જ કાયદાને માનશે. 


UCC મામલે થોડું ઈતિહાસમાં ડોકિયું કરી લઈએ

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સતત 1948થી પ્રયત્નો ચાલી રહ્યા છે. બીએન રાવ કમિટીએ વર્ષ 1941માં સમાન સિવિલ કાયદો લાવવા ભલામણ કરી હતી. આ કમિટીએ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાની સમિતિને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સમાન નાગરિક સંહિતાનો નિર્ણય ટળ્યો હતો. ત્યાર બાદ 1985, 1995, 1997 અને 2015માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારોને યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે વિચાર કરવા કહ્યું હતું. ગોવામાં 1961થી કોમન સિવિલ કૉડ લાગુ છે જ્યારે ઉત્તરાખંડમાં પણ પુષ્કરસિંહ ધામી સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે નિર્ણય લીધો છે. 




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.