મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર ગોઝારો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે થઈ ટક્કર


  • Published By :
  • Published Date : 2023-01-19 09:30:51

મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ગાડી અને ટ્રકની વચ્ચે ટક્કર થતા નવ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારના સમયે બની છે. આ ઘટના સવારના 4.45 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે. સામેથી આવી રેહલી ટ્રક કારમાં સવાર લોકો માટે કાળનો કોળિયો બની.


અકસ્માતને પગલે નવ લોકોના થયા મોત  

અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેલક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક ગોઝારો અકસ્માત મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર થયો છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો છે. આ અકસ્માતને કારણે નવ લોકોના મોત ઘટનાસ્થળે થયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એકબીજાના સંબંધી હતા. તે રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ અને નવ લોકોનો મોત થઈ ગયા. 

Image

ટ્રક અને ગાડી વચ્ચે થયો અકસ્માત 

ટ્રક અને કારની આમને-સામને ટક્કર થઈ જેને કારણે ગાડીના ભૂક્કા બોલાઈ ગયા હતા. કારની દુર્દશા થઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા લોકોના જીવ બચી ન શક્યા. અને ઘટના સ્થળે જ તેઓએ પ્રાણ ત્યાગી દીધા. પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી છે. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.