નવા સંસદ ભવનના ઉદ્ધાટન નિમિત્તે લોન્ચ કરાશે 75 રુપિયાનો સિક્કો! જાણો શું હશે સિક્કાની ખાસિયત?


  • Published By :
  • Published Date : 2023-05-26 15:16:48

28મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ કાર્યક્રમને લઈ રાજકારણ ગરમાયું છે. અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ ઉદ્ધાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખી સરકાર 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાની છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી સ્ટેમ્પ પણ લોન્ચ કરવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે લખવામાં આવશે અને અશોક સ્તંભ પણ સિક્કા પર જોવા મળશે. 


75 રુપિયાનો સિક્કો કરાશે લોન્ચ!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવવાનું છે. અનેક દિવસો તેમજ અનેક પ્રસંગોને યાદ રાખવા અનેક વખત સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈ સરકાર દ્વારા 75 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સિક્કા પર નવા સંસદ ભવનની તસવીર છાપેલી હશે. તે સિવાય મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે પણ લખવામાં આવ્યું હશે. સિક્કામાં 50 ટકા ચાંદી તેમજ 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. મહત્વું છે કે સિક્કો કેવો હશે તેવી જાણકારી આપવામાં આવી નથી.  


     

આ ખાસ દિવસો માટે બહાર પાડવામાં આવ્યા છે સિક્કા!

આ પહેલી વખત નથી કે સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. મન કી બાત કાર્યક્રમને જ્યારે 100 એપિસોડ પૂરા થયા હતા ત્યારે 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!