Vadodaraની એક શાળામાં એકદમથી વર્ગખંડ બાળકો સમેત પડી ગયો! જુઓ સીસીટીવી દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-20 14:46:39

બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે માતા પિતા માનતા હોય છે કે બાળક સુરક્ષિત જગ્યા પર છે માટે તેમને બાળકની સુરક્ષાનું ટેન્શન નથી હોતું.. પરંતુ વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે બે મિનીટ આપના ધબકારાને બંધ કરી દે તેવા છે.. વડોદરાની એક શાળામાં ક્લાસરૂમ અચાનક તૂટી ગયો..ધમ્મ્મ કરીને જે ક્લાસની દીવાલનો એક ભાગ પડ્યો તેમાં વિદ્યાર્થીઓ પણ બેઠા હતા.. અનેક વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમ પડી જવાને કારણે પડી ગયા.. 

બાળકો ક્લાસ રૂમમાં હતા અને ક્લાસની દિવાલ પડી ગઈ!

આપણે અનેક વખત એવા દ્રશ્યો જોયા છે જેમાં પુલ ધરાશાયી થતો હોય, દીવાલ ધરાશાયી થતી હોય વગેરે વગેરે... પરંતુ વડોદરાથી જે ઘટના સામે આવી છે તે ચોંકાવનારી છે.. ઘટના વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની છે જેમાં પહેલા માળનો ક્લાસ પડી ગયો. એ રૂમ પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પણ શાળાના ડિરેક્ટરે દાવો કર્યો હતો કે ઘટના સમયે વર્ગ ખાલી હતો બાદમાં સીસીટીવી સામે આવતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો છે. બાળકો ક્લાસ રૂમમાં બેઠા છે. ત્યારે અચાનક જ વર્ગખંડની દિવાલનો એક ભાગ ધરાશાયી થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે ઘટના બાદ જણાવ્યું હતું કે જે ક્લાસમાં દીવાલ પડી હતી ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર નહોતો. પરંતુ વિડીયોમાં સત્ય સામે આવ્યું છે. સત્ય એ છે કે વર્ગખંડ વિદ્યાર્થીઓથી ભરેલો હતો, જેમાંથી કેટલાક દીવાલ સાથે પડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.



સ્કૂલ વિરૂદ્ધ શું પગલા લેવાશે?

આમ તો વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આવા દ્રશ્યો સામે આવે છે આ તો ના કરેને નારાયણ કોઈ બાળકને કંઈક થઇ ગયું હોત તો એની જવાબદારી કોણ લેત? ખેર આ સ્કૂલ તંત્ર સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.