Vadodaraની એક શાળામાં એકદમથી વર્ગખંડ બાળકો સમેત પડી ગયો! જુઓ સીસીટીવી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-20 14:46:39

બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે માતા પિતા માનતા હોય છે કે બાળક સુરક્ષિત જગ્યા પર છે માટે તેમને બાળકની સુરક્ષાનું ટેન્શન નથી હોતું.. પરંતુ વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે બે મિનીટ આપના ધબકારાને બંધ કરી દે તેવા છે.. વડોદરાની એક શાળામાં ક્લાસરૂમ અચાનક તૂટી ગયો..ધમ્મ્મ કરીને જે ક્લાસની દીવાલનો એક ભાગ પડ્યો તેમાં વિદ્યાર્થીઓ પણ બેઠા હતા.. અનેક વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમ પડી જવાને કારણે પડી ગયા.. 

બાળકો ક્લાસ રૂમમાં હતા અને ક્લાસની દિવાલ પડી ગઈ!

આપણે અનેક વખત એવા દ્રશ્યો જોયા છે જેમાં પુલ ધરાશાયી થતો હોય, દીવાલ ધરાશાયી થતી હોય વગેરે વગેરે... પરંતુ વડોદરાથી જે ઘટના સામે આવી છે તે ચોંકાવનારી છે.. ઘટના વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની છે જેમાં પહેલા માળનો ક્લાસ પડી ગયો. એ રૂમ પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પણ શાળાના ડિરેક્ટરે દાવો કર્યો હતો કે ઘટના સમયે વર્ગ ખાલી હતો બાદમાં સીસીટીવી સામે આવતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો છે. બાળકો ક્લાસ રૂમમાં બેઠા છે. ત્યારે અચાનક જ વર્ગખંડની દિવાલનો એક ભાગ ધરાશાયી થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે ઘટના બાદ જણાવ્યું હતું કે જે ક્લાસમાં દીવાલ પડી હતી ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર નહોતો. પરંતુ વિડીયોમાં સત્ય સામે આવ્યું છે. સત્ય એ છે કે વર્ગખંડ વિદ્યાર્થીઓથી ભરેલો હતો, જેમાંથી કેટલાક દીવાલ સાથે પડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.



સ્કૂલ વિરૂદ્ધ શું પગલા લેવાશે?

આમ તો વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આવા દ્રશ્યો સામે આવે છે આ તો ના કરેને નારાયણ કોઈ બાળકને કંઈક થઇ ગયું હોત તો એની જવાબદારી કોણ લેત? ખેર આ સ્કૂલ તંત્ર સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે