બનાસકાંઠાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગતા થયું એક બાળકનું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-03-15 17:35:40

આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. સારવાર માટે દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ જો હોસ્પિટલમાં જ આગ લાગે તો? બનાસકાંઠા જિલ્લાની કાંકરેજમાં આવેલી એક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નાના બાળકનું મોત થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.     


ICU વોર્ડમાં આગ લાગતા થયું 4 દિવસના બાળકનું મોત 

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ બાળકો એડમીટ હતા અને તેમાંથી એક બાળકનું મોત થયું છે,એ મોત વધારે કરુણ એટલાં માટે બન્યું છે કેમ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર માત્ર 4 દિવસની હતી, જો કે બાકીના 2 બાળકોનો જીવ બચી જતા તેમને સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, અને ત્યાં સરકારી ડોક્ટર હાજર ન હોવાથી, લોકો ડોક્ટરને તેમના ઘરે બોલાવા ગયા હતા, જો કે ત્યાં ડોક્ટરે લોકો સાથે સારુ વર્તન નહોતુ કર્યુ અને લોકો સાથે આડકતરી રીતે એટલે કે એટીટ્યુડથી વાત કરી હતી.


નાના બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ 

આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભરાયો હતો અને સરકારી હોસ્પિટલ પાસે લોકો ભેગા થયા હતા અને સરકારી ડોક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો, લોકોએ કહ્યું હતું કે સરકારી ડોક્ટરની આવી મનમાની નહીં જ ચાલે..બનાસકાંઠાના લોકોએ સરકારી હોસ્પિટલ બહાર ડોક્ટરને હટાવવો તેને લઈ વિરોધપ્રદર્શન કર્યુ હતું. જો કે અંતે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ આરંભી 

પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે, પણ હજી સુધી હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, માત્ર એવું માનવામાં આવી રહ્યું છે કે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. અંતે આગ કેવી રીતે લાગી એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે એ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે એક બાળકનો જીવ ગયો છે.


બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ ભોગવવું પડે છે! 

છેલ્લે સુરતની તક્ષશીલા હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલ કે પછી બનાસકાંઠાના કાંકરેજના શિહોરની કોઈ ખાનગી હોસ્પિટલ…આગ લાગે એ પાછળની બેદરકારી દર વખતે કેટલાંય નિર્દોષોનો જીવ લે છે, જેનું પરિણામ તેમના પરિવારજનોને ભોગવવું પડતું હોય છે, પણ તેમ છતાં લોકો જાગતા નથી.     

       




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!