Banaskathaથી શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો 9 વર્ષના બાળકને ભયંકર માર માર્યો!


  • Published By :
  • Published Date : 2024-03-01 16:22:36

એક શિક્ષક જેની જોડે બાળક પોતાના પરિવાર કરતાં પણ વધુ સમય રહે છે. શિક્ષકની એ ફરજ છે કે એ બાળકને એના માતા પિતા જેટલો જ પ્રેમ આપે અને સંભાળ રાખે. પણ અફસોસ આજકાલ શિક્ષકો હેવાન બનતા જાય છે. ગઈકાલે મહીસાગરથી એક સ્ટોરી આવી પછી દાંતાથી સ્ટોરી આવી એક શિક્ષકે ધોરણ 3 મા ભણતા 9 વર્ષનાં બાળકને બહરેમીથી માર્યું. મહીસાગરથી તો આવા સમાચાર સામે આવ્યા પરંતુ બનાસકાંઠાથી પણ આવા વીડિયો સામે આવ્યા છે. 

9 વર્ષના બાળક સાથે શાળામાં કરાયું આવું વર્તન!

બનાસકાંઠાના દાંતથી સમાચાર આવ્યા કે હડાદ પેનીયલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકને ઢોર માર મારવામા આવ્યો છે. 9 વર્ષના બાળકને જે ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારવામાં આવ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. કઈ વાત પર પ્રિન્સિપલે માર્યું તો કારણ માત્ર એટલું કે હોમવર્ક કરતાં કરતાં એ બાળકથી કંઈક મેસેજ થઈ ગયો હતો. પછી પિતાએ માફી પણ માંગી હતી છતાંય સવારે બાળક સ્કૂલમાં આવ્યો ત્યારે પ્રિન્સિપાલે દાઝ કાઢી હતી. બાળકને એટલો માર્યો કે શરીર પર ગંભીર ઈજા થઈ છે. એ જ્યારે ઘરે ગયો ત્યારે રડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને વાલીએ શિક્ષકોને સવાલ કર્યો તો એ લોકોએ કંઈ જવાબ ના આપ્યો. તો માતા પિતાએ સ્કૂલ અને શિક્ષક સામે એફઆઈઆર પણ કરી છે.  


વિદ્યાર્થીને પ્રિન્સીપલે માર્યો ઢોર માર!

શિક્ષકોનું બગડતું માનસિક સ્વાસ્થ્ય, એમના ખરાબ સ્વાસ્થ્યના કારણે બાળકો ભોગ બની જાય છે. કેમ કે આ જમાનામાં કોઈક અસ્થિર માણસ જ બાળકોને આ રીતે મારે. બાકી નાના બાળકોને મારવાનો જીવ કઈ રીતે ચાલે? આવી જ ઘટના મહીસાગરથી કાલે સામે આવી હતી. જેમાં સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને પીવીસી પાઈપથી બહેરહેમીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે કેટલી ગંભીર આ બાબત છે કે બાળકોને શાળાના શિક્ષક આ રીતે મારે સંતરામપુરમાં વિદ્યાર્થી સાથે શું થયું?  


બાળકના કોમળ મનમાં પડતી હોય છે આવી ઘટનાની ગંભીર અસર! 

આવા કિસ્સાઓ સામે આવ્યા પછી એક સવાલ થાય કે આવા ફૂલ જેવા બાળકોના માનસ પર આની કેવી અસર પડતી હશે? આ બાળકો આ માર અને આ ઈજાઓના ઘાવ જીવનભર પોતાની સાથે લઈને ફરશે! તમારું આવી ઘટનાઓ માટે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.