Banaskathaથી શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો 9 વર્ષના બાળકને ભયંકર માર માર્યો!


  • Published By :
  • Published Date : 2024-03-01 16:22:36

એક શિક્ષક જેની જોડે બાળક પોતાના પરિવાર કરતાં પણ વધુ સમય રહે છે. શિક્ષકની એ ફરજ છે કે એ બાળકને એના માતા પિતા જેટલો જ પ્રેમ આપે અને સંભાળ રાખે. પણ અફસોસ આજકાલ શિક્ષકો હેવાન બનતા જાય છે. ગઈકાલે મહીસાગરથી એક સ્ટોરી આવી પછી દાંતાથી સ્ટોરી આવી એક શિક્ષકે ધોરણ 3 મા ભણતા 9 વર્ષનાં બાળકને બહરેમીથી માર્યું. મહીસાગરથી તો આવા સમાચાર સામે આવ્યા પરંતુ બનાસકાંઠાથી પણ આવા વીડિયો સામે આવ્યા છે. 

9 વર્ષના બાળક સાથે શાળામાં કરાયું આવું વર્તન!

બનાસકાંઠાના દાંતથી સમાચાર આવ્યા કે હડાદ પેનીયલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકને ઢોર માર મારવામા આવ્યો છે. 9 વર્ષના બાળકને જે ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારવામાં આવ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. કઈ વાત પર પ્રિન્સિપલે માર્યું તો કારણ માત્ર એટલું કે હોમવર્ક કરતાં કરતાં એ બાળકથી કંઈક મેસેજ થઈ ગયો હતો. પછી પિતાએ માફી પણ માંગી હતી છતાંય સવારે બાળક સ્કૂલમાં આવ્યો ત્યારે પ્રિન્સિપાલે દાઝ કાઢી હતી. બાળકને એટલો માર્યો કે શરીર પર ગંભીર ઈજા થઈ છે. એ જ્યારે ઘરે ગયો ત્યારે રડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને વાલીએ શિક્ષકોને સવાલ કર્યો તો એ લોકોએ કંઈ જવાબ ના આપ્યો. તો માતા પિતાએ સ્કૂલ અને શિક્ષક સામે એફઆઈઆર પણ કરી છે.  


વિદ્યાર્થીને પ્રિન્સીપલે માર્યો ઢોર માર!

શિક્ષકોનું બગડતું માનસિક સ્વાસ્થ્ય, એમના ખરાબ સ્વાસ્થ્યના કારણે બાળકો ભોગ બની જાય છે. કેમ કે આ જમાનામાં કોઈક અસ્થિર માણસ જ બાળકોને આ રીતે મારે. બાકી નાના બાળકોને મારવાનો જીવ કઈ રીતે ચાલે? આવી જ ઘટના મહીસાગરથી કાલે સામે આવી હતી. જેમાં સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને પીવીસી પાઈપથી બહેરહેમીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે કેટલી ગંભીર આ બાબત છે કે બાળકોને શાળાના શિક્ષક આ રીતે મારે સંતરામપુરમાં વિદ્યાર્થી સાથે શું થયું?  


બાળકના કોમળ મનમાં પડતી હોય છે આવી ઘટનાની ગંભીર અસર! 

આવા કિસ્સાઓ સામે આવ્યા પછી એક સવાલ થાય કે આવા ફૂલ જેવા બાળકોના માનસ પર આની કેવી અસર પડતી હશે? આ બાળકો આ માર અને આ ઈજાઓના ઘાવ જીવનભર પોતાની સાથે લઈને ફરશે! તમારું આવી ઘટનાઓ માટે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.