સિંગાપોરથી કિસ્સો સામે આવ્યો જેમાં કેસિનોમાં 33 કરોડ જીત્યા પછી માણસને હાર્ટ એટેક.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 18:20:03

આપણે જ્યાં વધારે ખુશ હોઈએ છીએ ત્યારે કાંતો આંખોમાંથી પાણી નીકળતા હોય છે.. જેને આપણે ખુશીના આંસુ કહેતા હોઈએ છીએ.. કાં તો આનંદના સમાચાર સાંભળી ઉછળી પડીએ છીએ.. પરંતુ આજે એક એવો કિસ્સો તમને જણાવો છે કે જેમાં એક વ્યક્તિને એટલી બધી ખુશી મળી કે તેને તેનો આઘાત લાગી જાય..! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, એવા સમાચારની ચર્ચા થઈ રહી છે જે સિંગાપુરનો છે તેવું કહેવાઈ રહ્યું છે. 




જેકપોટ લાગવાની ખુશી એટલી બધી હતી કે... 

સિંગાપુરના એક જુગારખાનામાં એક વ્યક્તિએ 33 કરોડ જેટલા રૂપિયા જીત્યા.. પૈસા જીતવાની ખુશી તે માણસ સહન ના કરી શક્યો અને તે વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો! જે સમાચારની વાત કરીએ છીએ તે ઘટના 22 જૂનનો હોવાની વાત સામે આવી છે. 22 જૂનની રોજ સિંગાપુરના મરિના બે સેંડસ કેસિનોમાં બની હતી તેવી માહિતી સામે આવી છે. માહિતી પ્રમાણે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તે કેસિનોનો રેગ્યુલર વિઝીટર હતો. તે વ્યક્તિને જેકપોટ લાગ્યો.. જેકપોટમાં અંદાજીત 33 કરોડની રકમ જીતી. આ જીત થતા તેણે કુદકા મારવાનું શરૂ કર્યું અને તે અચાનક જમીન પર પડી ગયો. 



સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોસ્પિટલ!

જમીન પર પડી જતા આસપાસના લોકો ત્યાં ભેગા થયા તેની મદદ માટે.. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. તેવા સમાચાર પણ સામે આવ્યા છે કે તે વ્યક્તિની તબિયત સુધારા પર છે.. હાર્ટ એટેકની અસરમાંથી તે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બીજા અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે સારવાર હેઠળ છે.. મહત્વનું છે કે આને લઈ કેસિનો તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની.. હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મિટિંગ કરી રહ્યા છે તો આજે પણ ભરતી મુદ્દે મિટિંગ થઈ હતી..

આખા અઠવાડિયામાં ગુજરાત, દેશ તેમજ વિશ્વમાં અનેક એવી ઘટના બની જેની ચર્ચાઓ થઈ.. દિલ્હી તેમજ રાજકોટ એરપોર્ટ પર દુર્ઘટના સર્જાઈ. કાયમી શિક્ષકોની ભરતીની માગ થઈ.

રાજકોટ એરપોર્ટ દુર્ઘટનાને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવામાં આવી જેમાં ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા,

મિત્રોનું આપણા જીવનમાં હોવું ખૂબ અગત્યનું છે. મિત્રો હોય છે તો જીવન જીવવા જેવું લાગે છે.. આપણે આપણા માતા પિતા કે પરિવારજનોની પસંદગી નથી કરી શકતા પરંતુ મિત્ર કોણ હશે તે આપણે પસંદ કરીએ છીએ..