તારક મહેતા શોના પ્રોડ્યુસર વિરૂદ્ધ કેસ કરાયો દાખલ, યૌન શોષણના આરોપમાં થઈ FIR, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 11:34:50

સોની સબ પર આવતા પ્રસિદ્ધ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા શોમાં મિસીસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સોમવારે અસિત કુમાર મોદી વિરૂદ્ધ તેમજ અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસિત કુમાર મોદી સહિત ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરૂદ્ધ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ મામલે ધરપકડ કરવામાં આવી નથી.

   


ત્રણ લોકો વિરૂદ્ધ કેસ કરાયો દાખલ!

આસિત કુમાર મોદીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઘણા સમયથી શોમાં મિસિસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનના આરોપો લગાવી રહ્યા છે. અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. વીડિયો બનાવી જેનિફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં પોલીસે શોના પ્રોડ્યુસર, ઓપરેશન હેડ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. મહત્વનું છે જ્યારથી આવો દાવો કરવામાં આવ્યો છે ત્યારથી આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.   


અનેક વખત શો રહી શક્યો છે વિવાદોમાં 

મહત્વનું છે કે લોકોને હસાવનારી સિરિયલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. સિરિયલમાં દયા ભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ તો ઘણા સમયથી શો છોડી દીધો છે. શો છોડવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તે બાદ બાવરીનું પાત્ર નિભાવતી અભિનેત્રીએ પણ ફિલ્મને અલવિદા કહી દીધું હતું. શોમાં તારક મહેતાનું કિરદાર નિભાવનાર શૈલેષ લોઢાએ પગાર ન આપવાના આરોપો લગાવ્યા હતા. જેનિફર મિસ્ત્રીએ આસિત કુમાર મોદી પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે