ભાવનગર-વેરાવળ હાઇવે પર બની રહેલો પુલ થયો ધરાશાયી, શું નિર્માણમાં થઈ રહ્યો હતો હલકી ગુણવત્તાવાળા સામાનનો ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-02 17:31:21

રાજ્યમાં બની રહેલા બ્રિજોની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજના નિર્માણ ચર્ચાનો વિષય બન્યો છે. હલકી ગુણવત્તાને કારણે છેલ્લા અનેક મહિનાથી બ્રિજ બંધ છે. ત્યારે રાજુલાના દાતરડી ગામ નજીક ભાવનગર વેરાવળ હાઈવે એઠઈ બાયપાસ ઉપર બની રહેલો પુલ શરૂ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. બ્રિજ હાલ નિર્માણધીન છે ત્યારે આવી ઘટના સર્જાઈ છે તો પુલની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. દુર્ઘટના સર્જાતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ચર્ચાવા લાગી છે.  



નિર્માણધીન બ્રિજ થયો ધરાશાયી 

ગયા વર્ષે દિવાળીના સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. તે સમયે અનેક બ્રિજની ગુણવત્તાને લઈ ચર્ચાઓ ચાલી હતી. ત્યારે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળો સામાન વપરાયો છે તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. રિપેરિંગને માટે થઈ છેલ્લા ઘણા સમયથી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


બ્રિજનું 50 ટકા કામ થઈ ગયું હતું પૂર્ણ 

ત્યારે એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજૂલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થતા કામગીરી તેમજ તેની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પુલ તૂટતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થવાના સમાચાર નથી આવ્યા.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.