વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી, બે શિક્ષક સહિત 7ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2024-01-18 20:19:36

વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની છે, વડોદરાના હરણી સ્થિત તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી એક બોટ પલટી જવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાના હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટિંગ કરવા આવેલા શાળાના બાળકોની બોટ પાણીમાં ઉંધી પડી જવાની ઘટના બાદ હાહાકાર મચી ગયો છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતાં, મળતી માહિતી મુજબ બે શિક્ષક સહિત 7ના મોત લોકોના મોત થયા છે, તથા હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે, જો કે બોટની ક્ષમતા 14 વ્યકિતની છે ત્યારે તેમાં 23 બાળકો અને ચાર શિક્ષકોનો સમાવેશ કરવા પર સવાલ પેદા થઇ રહ્યો છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


મળતી માહિતી મુજબ, વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે મોટી બેદરકારી પણ સામે આવી છે કે, એક બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સહિત 27 લોકો સવાર હતા અને એક પણ વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરવામમાં આવ્યું  ન હતું. આ ઘટનાની જાણ થતા જ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેરના મેયર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા છે, જેમાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ બને શિક્ષકનો સમાવેશ થાય છે.તળાવમાંથી 7 વિદ્યાર્થીઓને તળાવમાંથી હેમખેમ કાઢી લેવામાં આવ્યા છે. 9થી 10  ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10થી વધુ એમ્બ્યુલન્સ હાલ ઘટના સ્થળે પહોંચી છે. હજુ પણ કેટલાક વિદ્યાર્થી અને શિક્ષક લાપતા હોવાથી શોધખોળ ચાલું છે. ઘટનાને લઇને શાળાના બાળકોના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં પણ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. બોટમાં સવાર વિદ્યાર્થીઓની સંખ્યા અંગે અસ્પષ્ટતા જોવા મળી રહી છે, સ્કૂલના જ એક શિક્ષિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે 25 નહિ પરંતુ 82 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા. વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા મૃત્યુઆંક વધી શકે છે.


CM ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી


આ દ્રદયદ્રાવક દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે,‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!