Kutchના અંજારમાં આવેલી KEMO કેમિકલ ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા


  • Published By :
  • Published Date : 2024-01-15 11:39:38

ઉત્તરાયણના દિવસે કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટીલ પીગળતી વખતે KEMO સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે. એવી પણ માહિતી પણ સામે આવી છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. ચાર લોકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંજારના બૂઢારમોરામાં બની હતી જ્યારે સ્ટિલને પીગાળવાની કામગીરી ચાલી રહી હતી.    


ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝ્યા કામદારો!

આગ લાગવાની ઘટનાને કારણે અનેક લોકો ગંભીર રીતે દાઝતા હોય છે. ત્યારે કચ્છના અંજારમાં કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. અંજારના બુઢારમોરામાં આવેલી KEMO કેમીકલ કંપનીમાં સ્ટીલ પિગાળવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ભઠ્ઠી ફાટી નીકળી હતી અને દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. જે કેમિકલ બહાર આવી ગયું તે ગરમ હતું અને તે ગરમ કેમિકલને કારણે 10 જેટલા મજૂરો દાઝ્યા છે. સારવાર અર્થે કામદારોને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.