અમદાવાદમાં ભાજપના નેતા પર છરીના ઘા મારી હુમલો કરાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:05:11

ચૂંટણી નજીક આવતા રાજનીતિ ગરમાઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી જીતવા ભારે મથામણ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપ અને આપ વચ્ચે વાક પ્રહાર થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પર છરી વડે હુમલો કર્યો છે. ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

 

છરીના ઘા કરી કર્યા ઘાયલ

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી છે. એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત પર પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે કર્ણાવતી મહાનગરના ગોમતીપુરના યુવા મોરચા પ્રમુખ પવન તોમર પર હુમલો કર્યો છે. આપના કાર્યકરે તેમની ઉપર હુમલો કર્યો છે.

 

આપ પર કરાયા આરોપ

ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે.

ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ બિલકુલ વ્યાજબી નથી અને આ ગુજરાતની પરંપરા નથી. રાજ્યને  બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતને બદનામ કરવા રાજનીતિ રમાઈ રહી છે.  



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.