અમદાવાદમાં ભાજપના નેતા પર છરીના ઘા મારી હુમલો કરાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:05:11

ચૂંટણી નજીક આવતા રાજનીતિ ગરમાઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી જીતવા ભારે મથામણ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપ અને આપ વચ્ચે વાક પ્રહાર થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પર છરી વડે હુમલો કર્યો છે. ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

 

છરીના ઘા કરી કર્યા ઘાયલ

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી છે. એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત પર પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે કર્ણાવતી મહાનગરના ગોમતીપુરના યુવા મોરચા પ્રમુખ પવન તોમર પર હુમલો કર્યો છે. આપના કાર્યકરે તેમની ઉપર હુમલો કર્યો છે.

 

આપ પર કરાયા આરોપ

ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે.

ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ બિલકુલ વ્યાજબી નથી અને આ ગુજરાતની પરંપરા નથી. રાજ્યને  બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતને બદનામ કરવા રાજનીતિ રમાઈ રહી છે.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.