ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પર બનવા જઈ રહી છે બાયોપિક


  • Published By :
  • Published Date : 2022-11-19 10:08:56

ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયી એવા નેતા હતા જેમની તારીફ રાજકીય હરીફો કરતા હતા. તેમની વાણીની છટ્ટાને કારણે અને તેમની રાજનીતિને કારણે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. ત્યારે જનસંઘની સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા બની વડાપ્રધાન બનવાની સફરને દર્શાવતી ફિલ્મ આવનાર સમયમાં આવી રહી છે. શુક્રવારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ હશે 'मैं रहूं या ना रहूं, यह देश रहना चाहिए- अटल'

। 


અટલજીના જીવન પર આધારિત હશે આ ફિલ્મ

આજકાલની મોટાભાગની ફિલ્મ વાર્તાઓ અથવા પાત્રોથી પ્રભાવિત થઈ બનાવામાં આવી રહી છે. દંગલ, નિરજા, એમ.એસ.ધોની, ગંગુબાઈ જેવા પાત્રોમાંથી પ્રેરણા લઈ અનેક ફિલ્મો બનાવામાં આવી છે. ત્યારે રાજનેતાઓ પર આધારિત મુવીની વાત કરીએ તો એમાં સરદાર, બોઝ,પીએમ નરેન્દ્ર મોદી સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે જ્યારે આવનાર સમયમાં અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત ફિલ્મ બનવા જઈ રહી છે.  

अटल बिहारी वाजपेयी: 'प्यार को प्यार ही रहने दो कोई नाम न दो' - विवेचना -  BBC News हिंदी

The world of Atal Bihari Vajpayee - Hindustan Times

એવા નેતા જેમના કોઈ શત્રુ ન હતા   

રવિ જાઘવઆ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે જ્યારે ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવશે. જ્યારે પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા ભજવવાના છે. અટલજી ભારતીય રાજનીતિના એવા નેતા હતા જેમના વખાણ વિપક્ષ પણ કરતા હતા. રાજનૈતિકની સાથે સાથે તેઓ સારા લેખક પણ હતા. આ ફિલ્મનું નામ પણ સંસદમાં તેમના દ્વારા કહેવામાં આવી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी मगर ये देश रहना चाहिए।.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!